- text
મોરબીના હાર્દસમો અને સામાકાંઠે જવા માટેનો મુખ્ય માર્ગ તખ્તસિંહજી રોડની ચોમાસામાં ખરી દુર્દશા થઈ ગઈ હતી ત્યારે પાલિકા તંત્રએ રોડને પેવર બ્લોકથી બનાવવાનો નિર્ણય કર્યો છે.
- text
તખ્તસિંહજી રોડ ઘણા સમયથી બિસ્માર હાલતમાં છે. તેમાય થોડા સમય પહેલા ભારે વરસાદમાં તખ્તસિંહજી રોડ તહસનહસ થઈ ગયો હતો. આખો રોડ ખાડાનો અખાડો બની ગયો હતો. તેથી વાહન ચાલકો પર અકસ્માતનો ખતરો ઊભો થયો છે. આ રોડ ઉપર પસાર થતી વખતે ઠેરઠેર ખાડાઓને કારણે વાહન ચાલકોને ઉટસવારી કરતાં હોય તેવો અહેસાસ થાય છે. ત્યારે પાલિકા તંત્રએ શહેરીજનોને રોડના ત્રાસમાંથી મૂકતી અપાવવા માટે નવા રોડ બનાવવાની કાર્યવાહી હાથ ધરી છે. આ બાબતે પાલિકાનાં ઉપપ્રમુખે જણાવ્યુ હતું કે, તખ્તસિંહજી રોડની પેવર બ્લેકથી બનાવવામાં આવશે અને આ રોડનું ટૂંક સમયમાં કામ હાથ ધરાશે.
- text