માળીયા મી. : તા.૧થી ૫ જુન સુધી પર્યાવરણ દિવસ ઉજવણી

- text


માળીયા મી.ના ખાખરેચી ગામે વિશ્વ પર્યાવરણ દિનની ઉજવણી કરવામાં આવી રહી છે. જેમાં સરકારના વિવિધ વિભાગો અને સેવાકીય સંસ્થાના ઉપક્રમે તા.૧ થી ૫ સુધી પર્યાવરણ જાગૃતિ અંગેના વિવિધ કાર્યક્રમની શરૂઆત આ મુજબ કરવામાં આવી છે :
મોરબી તથા માળિયા (મી.) વિસ્તારમાં કાર્યરત આનંદી સંસ્થા, ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ તથા પર્યાવરણ વિકાસ કેન્દ્ર દ્રારા વિશ્વ પર્યાવરણ દિનની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં આજથી ચાર દિવસ સુધી ગ્રામ્ય સ્તરે સ્વચ્છતા અને સફાઈ અંગેના બાળકો દ્રારા કાર્યક્રમ યોજાશે. જ્યારે તા.૫ ના રોજ સવારે ખાખરેચી ગામ ખાતે જિલ્લા કલેકટર આઈ.કે.પટેલની ઉપસ્થિતિમાં પર્યાવરણ જાગૃતિ માટેની રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત પર્યાવરણ મહત્વ સમજાવા નાટકો, ગીત તેમજ વૃક્ષારોપણ જેવા કાર્યક્રમ પણ યોજાશે.⁠⁠⁠⁠

- text

- text