બગથળા ગામ દ્વારા વિશ્વશાંતિ અર્થે વિષ્ણુયજ્ઞાનુષ્ઠાન ૫૪ યજ્ઞકુંડાત્મકનું આયોજન

- text


મોરબી : આજ રોજ શ્રી નકલંક જગ્યા ટ્રસ્ટ તથા સમસ્ત બગથળા ગામ દ્વારા વિશ્વશાંતિ અર્થે વિષ્ણુયજ્ઞાનુષ્ઠાન ૫૪ યજ્ઞકુંડાત્મકનું આયોજન કરવામાં આવ્યું હતું. હવનનું આયોજન યજ્ઞનાં આચાર્ય શ્રી નિખીલભાઈ ડી. પડ્યા મારફત કરવામાં આવ્યું હતું. સોની. સ્વ. સામજીભાઈ છગનભાઈ ફીચડીયા તથા સોની પરિવાર ઘુટુનાં સૌજન્યથી સમગ્ર કાર્યક્રમ સફાળતાપૂર્વક પાર પડ્યો હતો. ૫૪ પરિવારો આ વિશ્વશાંતિ અર્થે યોજાયેલા વિષ્ણુયજ્ઞાનુષ્ઠાન ૫૪ યજ્ઞકુંડાત્મકમાં ભાગ લીધો હતો. આ ધાર્મિક કાર્યક્રમને સફળ બનાવા નકલંક જગ્યાના મહંત દામજી ભગત તથા બગથળાના ગ્રામજનોએ ભારે જેહમત ઉઠાવી હતી.

- text