મોરબી : 8 મૃતકોના પરિવારજનોને સહાય આપવા માટે કલેક્ટરે સરકારમાં કર્યો રિપોર્ટ

- text


મોરબી : મોરબીના કંડલા બાયપાસ રોડ ઉપર મચ્છુનગરના ઝૂંપડપટ્ટી વિસ્તારમાં 10 ફૂટની મહાકાય દીવાલ ઝુંપડા ઉપર પડવાથી 8 લોકોના મોત નિપજયા હતા. આ બનાવ બાદ મૃતકના પરિવારજનોને સરકાર તરફથી મળવા પાત્ર સહાય તાત્કાલિક મળી રહે તે માટે જીલ્લા કલેકટર દ્વારા સરકારમાં રીપોર્ટ કરવામાં આવ્યો છે.

- text

મોરબીના કંડલા બાયપાસ રોડ ઉપર આવેલ મચ્છુનગરની બાજુમાં ખુલ્લા પ્લોટમાં ઝૂંપડા બનાવીને રહેતા મજુરોના ઝુપડા ઉપર દીવાલ ધસી પડી હતી અને દિવાલ ધસી પડવાના કારણે ઝુંપડામાં રહેતા એમપીના મજૂરો પૈકીના બાર જેટલા લોકો તે દિવાલ નીચે દબાઈ ગયા હતા. આ બનાવમાં આઠ જેટલા લોકોના મોત નિપજ્યા હતા અને ચાર વ્યક્તિઓને ઈજાગ્રસ્ત હાલતમાં બહાર કાઢવામાં આવ્યા હતા. આ દુર્ઘટનામાં જે લોકોના મોત થયા છે તેના પરિવારજનોને સરકાર તરફથી મળવા પાત્ર થઇ સહાયની રકમ વહેલી તકે મળે તેના માટે ચીફ ઓફિસર અને સીટી મામલતદાર દ્વારા તાત્કાલિક રીપોર્ટ કરી દેવામાં આવ્યો હતો જેના આધારે હાલ જીલ્લા કલેકટર આર.જે.માંકડિયા દ્વારા પણ સરકારમાં રીપોર્ટ મોકલાવી આપવામાં આવ્યો છે.

 

- text