વાંકાનેર : જમ્મુ કાશ્મીર અંગેના ઐતિહાસિક નિર્ણયની શિવભક્તિ દ્વારા ઉજવણી

- text


વાંકાનેર : ભારત સરકાર દ્વારા જમ્મુ કાશ્મીરમાંથી કલામ 370 હટાવી લઈને જે ઐતિહાસિક નિર્ણય લીધો છે, તેને બિરદાવવા માટે વાંકાનેરની સ્વપ્નલોક સોસાયટીના રહેવાસીઓ દ્વારા શિવભક્તિ કરીને આ નિર્ણયને આવકારવામાં આવ્યો છે. ભારત સરકારે ઐતિહાસિક નિર્ણય લઈને કાશ્મીર પરની 370ની કલમ હટાવી દઈને અખંડ ભારત બનાવી દેતા સમગ્ર દેશની સાથે વાંકાનેરવાસીઓ ખુશીથી ઝૂમી ઉઠ્યા છે અને વાંકાનેરમાં સર્વત્ર ઉજવણીનો માહોલ સર્જાયો છે ત્યારે વાંકાનેરના સ્વપ્નલોક સોસાયટીના રહીશોએ સોસાયટીમાં આવેલ સિદ્ધેશ્વર મહાદેવ મંદિરે શિવજીની પૂજન-અર્ચન કરી મંદિરને ફૂલોથી સુશોભિત કરી ભારત સરકારના ઐતિહાસિક નિર્ણયને હર્ષભેર વધાવીને મોદી સરકાર પર શુભેચ્છાઓનો ધોધ વરસાવ્યો છે.

- text

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

- text