મોરબીમાં ઓશો સંબોધી ઉત્સવ નિમિતે આજથી પાંચ દિવસ ધ્યાન શિબિર

- text


૨૧મીએ ધૂળેટીનો પર્વની ઉત્સાહભેર ઉજવણી કરાશે

મોરબી : મોરબીમાં ઓશો સંબોધી ઉત્સવ નિમિતે સજ્જનપર નજીક આવેલ ઓશો કેસર ફાર્મ ખાતે આજથી ૨૪મી સુધી ધ્યાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. આ શિબિરમાં ૨૧મીએ ધુળેટીના પર્વને પણ ઉજવવામા આવનાર છે.

ઓશો કેશર ફાર્મ પરિવાર આયોજિત શિબિરમાં તા. ૨૧ ના ધૂળેટીના પર્વ નિમિતે રંગ ગુલાલ દ્વારા ઉજવવામાં આવશે તેમજ આ દિવસને ઓશો સંબોધી દિવસ તરીકે ઉજવવામાં આવનાર છે. રમેશભાઈ રૈયાણી દ્વારા સંચાલિત ઓશો કેશર ફાર્મમાં સાધક મિત્રો માટે પુરતી વ્યવસ્થા કરવામાં આવી છે. અને સાધનામાં કોઈ તકલીફ ના પડે તેની ખાસ તકેદારી રાખવામાં આવી છે. તા.૨૪ સુધી ચાલનારી શિબિરમાં રહેવાની તેમજ સવારના નાસ્તો તેમજ ભોજનની વ્યવસ્થા પણ કરવામાં આવી છે વધુ વિગતો માટે સ્વામી રમેશભાઈ મો. ૯૮૭૯૦ ૧૦૭૮૯માં દેવ નર્તન ૭૯૯૦૦ ૨૯૭૬૭ અને સ્વામી હસમુખભાઈ ૯૩૭૪૪ ૧૫૬૭૪ નો સંપર્ક કરવા સ્વામી ધ્યાન અશોકની યાદીમાં જણાવાયુ છે.

- text

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

 

- text