ટંકારા : શહીદોના પરિવાર માટે હવે મંદિરોએ પણ આહલેક જગાવી

- text


હડમતીયાના અંબાજી મંદિરની પ્રેરણાદાયી પહેલ, રૂપિયા ૧૧૧૧૧/ ની સહાય આપી

ટંકારા : મોરબીમાં શહીદોના પરીવાર માટે ફંડ એકત્રિત કરવા માટે રીતસર સરવાણી વહી રહી છે. તમામ ક્ષેત્રેથી માતબર રકમ એકઠી થઈ રહી છે ત્યારે મંદીરો માથી એક નવી પહેલ શરુ થઈ છે. જેમા ટંકારાના ગાંધી કુટુંબના કુળદેવી અંબાજી મંદિર તરફથી રૂપિયા ૧૧૧૧૧/ ની રકમ અર્પણ કરવામાં આવી છે. આ એક એવી પહેલ છે કે જો ભારત ભરના તમામ મંદીરો પણ આ ઉદાહરણીય પગલાંને અનુસરે તો વિશ્વમાં ભારતની ધર્મપરાયણતાંનો જયજયકાર થઈ જાય.

- text

ટંકારાના ગાંધી કુટુંબ દ્વારા તેમના કુળદેવી અંબાજી મંદિર હડમતીયા દ્વારા વિર શહીદ જવાનોની શહાદત એળે ન જાય અને એના પરીવારને આર્થીક સહયોગી થવાના ઉમદા હેતુથી આ પહેલ કરી છે.

 

- text