વાંકાનેરના કોટડા નાયાણી ગામે પતિના હાથે પત્નીની હત્યા

- text


ગ્રામજનોને બીમારીથી મોત થયાનું જણાવી બે દિવસ પૂર્વે પત્નીની ઠંડા કલેજે હત્યા બાદ નાસી છૂટ્યો

વાંકાનેર : વાંકાનેર તાલુકાના કોટડા નાયાણી ગામે ઘર કંકાસને કારણે પત્નીના હાથ પગ ભાંગી નાખી ગળે ટૂંપો આપી પતિએ મોતને ઘાટ ઉતારી દેતા ચકચાર જાગી છે જો કે હત્યા કરવા છતાં કુદરતી મોત થયાનું રટણ કરનાર પતિ હાલમાં નાસી છૂટ્યો છે અને પીએમ રિપોર્ટ બાદ બનાવ હત્યાનો હોવાનું ખુલતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો છે.

પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના કોટડા નાયણી ગામે રહેતા ભીખાભાઈ બચુભાઈ લઢેરે પોતાની પત્ની જાનુબેન ઉર્ફે ભારતીબેન ઉંમર વર્ષ ૫૦ ની ગત. ૩ના રોજ હથીયારથી માર મારી હાથ-પગ ભાંગી નાખી ગળેટૂંપો આપી મારી નાખી હત્યા કરી નાખી હતી.

- text

ઘરકંકાસ કંકાસના કારણે પત્નીની ઠંડા કલેજ હત્યા કરી હોવા છતાં આરોપી ભીખાભાઈ બચુભાઈ લઢેરે પોતાના કુટુંબીજનોને જાનુબેનનું કુદરતી મોત થયાનું જણાવ્યું હતું.

જો કે, કોટડા નાયણી ગામના પંચાયત સભ્યની જાગૃતતાથી સમગ્ર હત્યાનો મામલો બહાર આવ્યો છે અને ગઈકાલે આને આજે પોલીસે જાણુબેનનું રાજકોટ પીએમ કરાવતા બનાવ હત્યાનો હોવાનું સ્પષ્ટ બનતા આજે પોલીસ કાફલો કોટડા નાયાણી ખાતે દોડી ગયો હતો અને હત્યારા પતિ વિરુદ્ધ ગુન્હો નોંધી તેને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.

- text