વાંકાનેરના તીથવામાં સુરપુરાના મંદિરે ગયેલા ભરવાડ યુવાન પર હુમલો

- text


સમાપક્ષે વાડી માલિક મુસ્લિમ યુવાને ત્રણ ભરવાડ શખ્સો વિરુદ્ધ ગુન્હો નોંધાવ્યો

- text

વાંકાનેર:વાંકાનેરના તીથવામાં ખેતરમાં આવેલ સુરપુરાના મંદિરે ઘાસ સાફ કરતા ભરવાડ યુવાન ઉપર વાડી માલિક મુસ્લિમ યુવાનોએ હુમલો કર્યાની ફરિયાદ નોંધાઇ છે તો સામાપક્ષે મુસ્લિમ યુવાને ત્રણ ભરવાડ શખ્સો વિરુદ્ધ માર મર્યાની ફરિયાદ નોંધાવી છે.
જાણવા મળતી વિગતો મુજબ વાંકાનેરના તીથવા ગામે સીરાજભાઈ ઇબ્રાહિમભાઈ સેરસિયાની વાડીમાં ફરિયાદી હરજીભાઈ સતાભાઈ ફાંગલિયા ગયા હતા ત્યારે મંદિરની જગ્યા આજુ બાજુ ઘાસ પાન સાફ કરતા આરોપી સીરાજભાઈ શેરસિયા સહિતના શખ્સોએ મારમારતા ફરિયાદ નોંધાવી છે.
તો સમાપક્ષે સીરાજભાઈ શેરસિયાએ હરજીભાઈ સતાભાઈ સહિતના ત્રણ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે સામસામી ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે.

- text