ટંકારા પોલીસ મથકના શશિકાન્તભાઈ આચાર્ય નિવૃત થતા વિદાયમાન અપાયું

- text


ટંકારામાં માં રાઇટર હેડ તરીકે 11 વર્ષ ફરજ બજાવી વતન બનાવ્યું

ટંકારા : ટંકારા પોલીસ મથકમાં છેલ્લા 11 વર્ષથી ફરજ બજાવતા રાઈટરહેડ અને અદા ના હુલામણા નામથી જાણીતા શશિકાન્તભાઈ શાંતિભાઈ આચાર્ય વય મર્યાદાને કારણે નિવૃત થતા ગઈકાલે તેમને વિદાયમાન આપવામાં આવ્યું હતું.
ફરજપ્રત્યે હંમેશાં સજાગ રહેતા શશિકાન્તભાઈ 20/8/1959 ના રોજ મોરબીના રંગપર બેલા ખાતે આચાર્ય પરિવારના ઘેર જન્મી એસવાયબીએનો અભ્યાસ કરી 1981માં પોલીસમાં ભરતી થયા હતા અને પહેલું પોસ્ટિંગ કોટડા સાંગણી ખાતે મેળવ્યું હતું.
બાદમાં રાજકોટ ખાતે 4 વર્ષ,ગોંડલમાં 11 વર્ષ,મોરબીમાં 4 વર્ષ અને છેલ્લે ટંકારામાં 11 વર્ષ રાઇટર હેડ તરીકે નિષ્ઠાપૂર્વક ફરજ બજાવી તમામ સ્ટાફમાં આદરભર્યું સ્થાન પ્રાપ્ત કર્યું છે, તેઓએ અત્યાર સુધીમાં એએસપી અને ડીવાયએસપી સાથે મહતપૂર્ણ કામગીરી કરી સૌના દિલ જીતી લીધા છે.
ગઈકાલે તેમને વિદાયમાં આપતી વેળાએ હાજર સ્ટાફની આંખોમાં રીતસર જળજળીયા આવી ગયા હતા,આ તકે ટંકારા ફોજદાર તેરૈયા,મામલતદાર ક્લાસવા,મોરબીના ફોજદાર ગૌસ્વામીબેન સહિતના મહાનુભાવો હાજર રહ્યા હતા અને જમાદાર ચંદુભાઇ બાબરિયાએ તમામ અધિકારી આગેવાનોને ઉકાળો પીવડાવ્યો હતો.

- text