- text
માળીયાના નવાગામના કુવામાં આજે યુવાનનો મૃતદેહ તરતો હોવાની માહિતી મળતા ગ્રામજનો એકત્ર થયા હતા અને યુવાનના મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો હતો. મૃતક યુવાન આરીફ કરીમ મિયાણા (ઉ.વ.૨૨) હોવાનું પ્રાથમિક તપાસના પોલીસને જાણવા મળ્યું હતું તેમજ યુવાન ગઈકાલથી પોતાના ઘરેથી ગુમ હતો જેથી યુવાને કુવામાં ઝંપલાવી આપઘાત કર્યો હોવાનું પોલીસે અનુમાન લગાવીને આ મામલે વધુ તપાસ ચલાવી છે.
- text
- text