મોરબીમાં હનુમાન જયંતિ નિમિત્તે ગરીબ બાળકોને નાસ્તાનું વિતરણ કરતું અનસ્ટોપેબલ વોરીયર્સ ગ્રુપ

- text


મોરબી : ચૈત્ર સુદ પુનમના દિવસે હનુમાનજી મહારાજની જન્મ જયંતી નિમિત્તે મોરબીના અનસ્ટોપેબલ વોરીયર ગ્રુપ દ્વારા મોરબીના જેલ રોડ પર આવેલ ઝુંપડપટ્ટી તથા અગ્નેશ્વર મહાદેવ મંદિર, મયુર પુલ નીચે ઝૂંપડપટ્ટી વિસ્તારના લોકોને પફ તથા ગુંદી અને ટોપરાપાકનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ સેવાકાર્યમાં અનસ્ટોપેબલ વોરીયર્સ ગ્રુપના પ્રમુખ હેતલબેન પટેલ, જયશ્રીબેન, જાગૃતિબેન અને રેખાબેન સહિતની બહેનો જોડાઈ હતી.

- text

- text