27 એપ્રિલે મોરબીમાં ચકલીઘર અને પાણીના પરબિયા-કુંડાનું વિનામૂલ્યે વિતરણ કરાશે

- text


મોરબી : લાયન્સ કલબ ઓફ મોરબી સિટી તેમજ શ્રી ક્રિષ્ના ચેરીટેબલ એન્ડ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા જીવદયા પ્રોજેકટ અંતર્ગત આ કાળઝાળ ગરમીમાં પક્ષીઓને રાહત મળે તે માટે ચકલીઘર અને પાણીના પરબિયા-કુંડાનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવશે.

- text

આગામી તારીખ 27 એપ્રિલ ને શનિવારના રોજ સવારે 9 વાગ્યાથી બપોરે 12 વાગ્યા સુધી શનાળા રોડ પર આવેલા સત્યેશ્વર મહાદેવ મંદિર ખાતે ચકલીઘર અને પાણીના પરબિયા-કુંડાનું વિતરણ કરાશે. આ જીવદયા પ્રોજેક્ટમાં સૌરાષ્ટ્ર કચ્છના ફર્સ્ટ વાઈસ ડિસ્ટ્રીક્ટ ગવર્નર લા. રમેશભાઈ રૂપાલા પોતાના ટ્રસ્ટમાંથી જરૂરિયાત મુજબનો આર્થિક સહયોગ આપશે. તો દરેક પર્યાવરણ અને જીવદયા પ્રેમી લોકોએ આ સેવા કેમ્પનો લાભ લેવા લાયન્સ ક્લબ ઓફ મોરબી સિટીના પ્રમુખ લા.કેશુભાઈ દેત્રોજા, સેક્રેટરી લા. ત્રિભોવનભાઈ સી. ફુલતરિયા અને ખજાનચી લા. મણિલાલ જે. કાવર દ્વારા જણાવાયું છે.

- text