મોરબીમાં ભગવાન પરશુરામ દાદાના જન્મોત્સવની ધામધૂમથી ઉજવણી કરાશે

- text


પરશુરામ યુવા ગ્રુપ દ્વારા ભવ્ય આયોજન કરાયું

મોરબી : આગામી 10મેને આખત્રીજના દિવસે બ્રાહ્મણોના આરાધ્ય દેવ ભગવાન શ્રી પરશુરામ જન્મ જયંતી છે. જેને લઇને મોરબી પરશુરામ યુવા ગૃપ દ્વારા ભગવાન પરશુરામ દાદાના જન્મોત્સવની રંગે ચંગે ઉજવણી કરવામાં આવશે.

- text

મોરબી પરશુરામ યુવા ગ્રુપના પ્રમુખ અતુલભાઈ જોશી, મહામંત્રી જ્યદીપભાઈ મહેતા, મહામંત્રી નયનભાઈ પંડ્યા તેમજ સંકલન સમિતિ અને અન્ય હોદેદારો સહિત બ્રહમ સમાજના તમામ પરિવાર દ્વારા આ ઉજવણી ધામ ધૂમથી થાયતે માટે જોર શોરથી તૈયારીઓ કરી રહ્યા છે. જેમાં આગામી તા.10મેના રોજ પરશુરામ ભગવાન નો જન્મોત્સવ છે ત્યારે આગળના દિવસે સાંજે 9 કલાકે નવલખી રોડ સ્થિતિ પરશુરામ ધામ ખાતે બ્રહ્મપરીવારો દ્વારા રાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે. જ્યારે તારીખ 10મે 2024ના રોજ મોરબીના ગાયત્રી મંદિર વાઘપરા ખાતેથી શોભાયાત્રા બપોરના 4.00 કલાકે શરૂ થશે અને ધામધૂમથી ઢોલ નગરા સાથે ભગવાન શ્રી પરશુરામ મોરબીના રાજમાર્ગો પર નગરચર્યા કરી અને નવલખી સ્થિત પરશુરામ ધામ ખાતે પહોંચશે જ્યાં ભગવાન શ્રી પરશુરામ દાદાને છપ્પન ભોગ ધરાવી મહા આરતી કરી પ્રસાદ લઈ ઉજવણી કરવામાં આવશે. મોરબીના તમામ બ્રહ્મ પરિવારોને પરશુરામ જન્મોત્સવની ઉજવણીમાં ભાગ લેવા પરશુરામ યુવા ગ્રુપ અને બ્રહ્મ સમાજ દ્વારા હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

- text