મોરબીની ધર્મવિજય રેસિડેન્સીમાં હનુમાનજી મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો

- text


મોરબી : મોરબીના કન્યા છાત્રાલય રોડ, સરદારનગરની સામે નવનિર્મિત બનેલી ધર્મવિજય રેસિડેન્સીમાં હનુમાન જયંતીના પાવન દિવસે “ધર્મ બાલાજી” મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું.

પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના પ્રથમ દિવસે હનુમાનજી મહારાજની શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જયારે બીજા દિવસે મંત્રોચ્ચાર સાથે યજ્ઞ હવન કરી શુભ મુહૂર્તમાં હનુમાનજી મહારાજની પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. આ બે દિવસીય કાર્યક્રમમાં રેસિડેન્સીના તમામ ભાવિક ભક્તો પૂર્ણ શ્રદ્ધા અને આસ્થા સાથે જોડાયા હતા. સોસાયટીના તમામ રહીશો માટે બપોરે ફળાહાર અને સાંજે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. આમ ખૂબ જ ધામધૂમથી હનુમાનજી મંદિરની પ્રતિષ્ઠા કરવામાં આવી હતી.

- text

પ્રતિષ્ઠાના મુખ્ય યજમાન તરીકે રવિભાઈ કવાડિયાએ લાભ લીધો હતો. આ પ્રસંગે નકલંક મંદિર બગથળાના મહંત દામજી ભગતે હાજરી આપી આશીર્વચન આપ્યા હતા. કથાના શાસ્ત્રી તરીકે અરુણભાઈ રાવલ જોડાયા હતા. અંતે દાતાઓ તેમજ કાર્યકર્તાઓનું સન્માન કરવામાં આવ્યું હતું. આ તમામ કાર્યક્રમને અશોકભાઈ કાંજીયા, રાજેશભાઈ જેતપરીયા, વિજય અમૃતિયા, ધવલ ઢોલરીયા, રમણીક વડગાસિયા, ધર્મેશ ધુમલીયા, સંજય ફુલતરીયા, મિલન સીણોજીયા તેમજ રેસીડેન્સીના યુવાનોએ ભારે જહેમત ઉઠાવી સફળતા પૂર્વક આયોજન કર્યું હતું. જે બદલ અશોકભાઈ કાંજીયા દ્વારા તમામનો આભાર માનવામાં આવ્યો હતો.

- text