તા.21મીએ મોરબીમાં પાણીના કુંડાનું નિ:શુલ્ક વિતરણ કરાશે

- text


મોરબી : કાળઝાળ ગરમીમાં પશુ પંખીઓને રાહત માટે આગામી તારીખ 21 એપ્રિલ ને રવિવારના રોજ મયુર નેચર ક્લબ દ્વારા મોરબીમાં નિ:શુલ્ક કુંડા અને પાણીના પરબીયાનું વિતરણ કરવામાં આવશે.

- text

આગામી તા. 21 એપ્રિલે સવારે 8 થી 10 વાગ્યા દરમિયાન મોરબીના હાઉસિંગ બોર્ડ, મહારાણા પ્રતાપ ચોક ખાતે આવેલા ગેંડા સર્કલ ખાતે મયુર નેચર ક્લબ દ્વારા કુંડા, પાણીના પરબીયાનું નિ:શુલ્ક વિતરણ કરવામાં આવશે. વહેલા તે પહેલાના ધોરણે એક વ્યક્તિને એક જ કુંડુ આપવામાં આવશે. તો આ વિતરણ વ્યવસ્થાનો લાભ લેવા પ્રમુખ મહાદેવભાઈ પ્રજાપતિ, ચેરમેન એમ.જી. મારુતિ અને પ્રોજેક્ટ ચેરમેન અજયભાઈ અનડકટ દ્વારા જાહેર જનતાને અપીલ કરવામાં આવી છે.

- text