રામનવમીએ મોરબીના પારેખ શોપિંગ સેન્ટર ખાતે છાશ વિતરણ કરાશે

- text


મોરબી : આવતીકાલે પ્રભુશ્રી રામના જન્મોત્સવની ઠેર ઠેર ઉજવણી થનાર છે. ત્યારે મોરબીના પારેખ શોપિંગ સેન્ટર ખાતે રામનવમી નિમિત્તે છાશ વિતરણ કરવામાં આવશે. છેલ્લા 20 વર્ષથી મોરબીના સરદાર રોડ પર આવેલા પારેખ શોપિંગ સેન્ટર ખાતે રામનવમીના દિવસે છાશ વિતરણ કરવામાં આવી રહ્યું છે. ત્યારે આ વર્ષે પણ શ્રી રામ જન્મોત્સવ નિમિત્તે આવતીકાલે તારીખ 17 એપ્રિલ ને બુધવારના રોજ પારેખ શોપિંગ સેન્ટર ખાતે ભાવિક ભક્તોને છાશનો પ્રસાદ વિતરણ કરવામાં આવશે. તો આ પ્રસાદ લેવા માટે પારેખ શોપિંગ મિત્ર મંડળ દ્વારા સર્વેને જાહેર આમંત્રણ પાઠવાયું છે.

- text

- text