મોરબીના રાજપરથી લાપતા બનેલા વ્યક્તિનો પતો આપવા અપીલ

- text


મોરબી: મોરબી તાલુકાના રાજપર ગામની સીમમાં આવેલ ગાયત્રી ફાર્મ હાઉસ ખાતે રહેતા મૂળ ભવનગર જિલ્લાના મહુવાના વતની ચીમનભાઇ માધાભાઇ શીયાળ(ઉ.વ.45) ગત તા.5 માર્ચના રોજ કોઇને કંઇ કહ્યા વગર નીકળી ગયા છે. જેઓ શરીરે મધ્યમ બાંધાના, વાને ઘઉં વર્ણના આશરે પાંચકે ફુટ, જેમના એક હાથ પર ગુજરાતીમાં ‘દેવાભાઇ’ તથા બીજા હાથ ઉપર ગુજરાતીમાં ‘સોનલ’ ત્રોફાવેલ છે. તેઓ ગાયત્રી ફાર્મ હાઉસથી નીકળેલ ત્યારે શરીરે કાળા કલરનું સ્વેટર તથા ભુખરા ખાખી કલરનું પેન્ટ પહેરેલ હતું.આ વ્યક્તિની કોઈને પણ જાણકારી મળે તો તપાસ કરનાર મોરબી તાલુકા પોલીસ સ્ટેશન એ.એસ.આઇ એસ.વી.સોલંકીના મો.નં-79902 48482 અથવા મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના ટેલિફોન નં-02822-242592 પર સંપર્ક કરવા મોરબી તાલુકા પોલીસ સ્ટેશનની યાદીમાં જણાવાયું છે.

- text