- text
હળવદ : હળવદના શક્તિનગર સ્થિત નકલંક ગુરુધામ શ્રી રામદેવપીર મંદિર ખાતે આજે તારીખ 10 એપ્રિલ ને બુધવારના રોજ રાત્રે ભવ્ય સંતવાણી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આજે ચૈત્ર સુદ બીજ નિમિત્તે યોજાનાર ભવ્ય સંતવાણી કાર્યક્રમમાં ગોપાલ સાધુ સહિતના કલાકારો ભજનની રમઝટ બોલાવશે. સંતવાણી કાર્યક્રમ રામદેવ સ્ટુડિયો ધારપીપળા યુટ્યુબ ચેનલ પર લાઈવ પણ કરવામાં આવશે. તો આ સંતવાણી કાર્યક્રમનો લાભ લેવા મહંત દલસુખ મહારાજે સૌને આમંત્રણ પાઠવ્યું છે.
- text