તા.19મીએ હળવદના ગોકુળિયામાં રામામંડળ ભજવાશે

- text


હળવદ : આગામી તારીખ 19 એપ્રિલ ને શુક્રવારના રોજ હળવદના ગોકુળિયામાં રામા મંડળ ભજવાશે. કેવલભાઈ પ્રફુલભાઈ વરમોરા અને પ્રફુલભાઈ જગજીવનભાઈ વરમોરા દ્વારા રામા મંડળનું આયોજન કરાયું છે. જેમાં સદગુરુ રામામંડળ મોટી માલવણ દ્વારા રામદેવપીર મહારાજનું જીવન ચરિત્ર ભજવવામાં આવશે. જેમાં ગાયક કલાકાર સુરેશ ઠાકોર હાજરી આપશે. આ રામામંડળ સદગુરુ રામામંડળ મોટી માલવણની યુટ્યુબ ચેનલ પર પણ લાઈવ પણ કરવામાં આવશે.

- text