Halvad: રાતાભેર ગામે ખાખરાવાળી મેલડી માતાજીનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે

- text


હળવદ: હળવદ તાલુકાના રાતાભેર ગામે આગામી તારીખ 15 એપ્રિલના રોજ ખાખરાવાળી મેલડી માતાજીના મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.

ખાખરાવાળી મેલડી મંડળ- સમસ્ત રાતાભેર ગામ દ્વારા 15 એપ્રિલનાં ( સોમવાર) રોજ ખાખરાવાળી મેલડી માતાજીના મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણીનું આયોજન કરાયું છે. આ પ્રસંગે 14 એપ્રિલના રોજ વરઘોડો નીકળશે. 15 એપ્રિલના રોજ સવારે 7 કલાકે હવનનો પ્રારંભ થશે. બપોરે 12 કલાકે પ્રતિષ્ઠા કરવામાં આવશે. ત્યારબાદ 12-30 કલાકે પ્રસાદનું આયોજન કરાયું છે. સાંજે 8 કલાકે માતાજીનું માંડલું યોજાશે. જેમાં કલાકાર તરીકે હરેશભાઈ રાવળદેવ અને વિરમભાઈ રાવળદેવ હાજર રહેશે.

- text

યજ્ઞના આચાર્ય પદે શાસ્ત્રી રોહિતભાઈ રસિકલાલ જાની (રાતાભેર) બીરાજશે. પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં વિવિધ સંતો-મહંતો અને ભુવાઓ હાજરી આપશે.

- text