પત્નીએ ઘેનની ગોળીઓ ખાવાની ના પાડતા પતિએ એસિડ પી લીધું, મૃત્યુ 

- text


વાંકાનેર તાલુકાના ધમલપર ગામે બનેલા બનાવથી અરેરાટી 

વાંકાનેર : વાંકાનેર તાલુકાના ધમલપર ગામે રહેતો યુવાન અવારનવાર ઘેનના ટીકડા પી લેતો હોય જેથી તેમના પત્નીને ઘેનની ગોળી નહીં લેવાનું કહેતા લાગી આવતા યુવાને જાતે એસિડ ગટગટાવી લેતા યુવાનનું રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું.

બનાવ અંગે જાણવા મળતી વીગતો મુજબ વાંકાનેર તાલુકાના ધમલપર ગામે રહેતો વિજયભાઇ દાનજીભાઇ માણસુરીયા અવારનવાર ઊંઘની ગોળી ખાઈ લેતો હોય જેથી તેમના પત્ની સુમિત્રાબેને ઘેનની ગોળીઓ નહીં લેવા કહેતા વિજયભાઇ દાનજીભાઇ માણસુરીયાને લાગી આવતા પોતાની જાતે એસિડ ગટગટાવી લેતા પ્રથમ વાંકાનેર બાદ વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતા સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે વાંકાનેર સીટી પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

- text

- text