મોરબીના ભરતનગરમાં સ્વજનના સ્મરણાર્થે રક્તદાન કેમ્પ – ભજન સંધ્યા યોજાશે

- text


મોરબી : મોરબી તાલુકાના ભરતનગર ગામના મોરસણીયા પરિવાર દ્વારા સ્વર્ગસ્થ માતાના સ્મરણાર્થે તા.14ના રોજ રક્તદાન કેમ્પ અને તા.13ના રોજ ભજન સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું છે.

- text

સ્વ. કસ્તુરબેન ભગવાનજીભાઈ મોરસણીયાનું ગત તારીખ 3 માર્ચ ને રવિવારના રોજ અવસાન થયું હતું. ત્યારે સ્વર્ગસ્થ માતા કસ્તુરબેન મોરસણીયાને સાચા અર્થમાં શ્રદ્ધાંજલિ આપવા માટે મોરસણીયા પરિવાર દ્વારા 14 માર્ચ ને ગુરુવારના રોજ સવારે 8 થી 11 વાગ્યા સુધી ભરતનગર સ્થિત પટેલ સમાજ વાડી ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. સાથે જ 13 માર્ચ ને બુધવારના રોજ રાત્રે 8 કલાકે ભરતનગર ખાતે તેમના નિવાસ સ્થાને માતૃ સ્મૃતિ વંદના કાર્યક્રમનું આયોજન કરાયું છે. જેમાં પરિવારના બાળકોની ગણાનુવાદ સભા અને કોયલીના સુપ્રસિદ્ધ ભજનીક છગન ભગતની ભજન સંધ્યાનો કાર્યક્રમ યોજાશે. આ ઉપરાંત સાંજે 4 થી 5 વાગ્યા દરમિયાન વેદ વિદ્યાલય, ખોખરા હનુમંત ધામના ઋષિ કુમારો વિષ્ણુ સહસ્ત્રના સામૂહિક પાઠ કરશે.

- text