- text
વાંકાનેર : વાંકાનેર તાલુકાના ઢુંવા નજીક આવેલ જેટ સિરામિક કારખાના પાછળ રેલવે ફાટક પાસેથી પસાર થતી ટ્રેન હડફેટે આવી જતા મૂળ રાજસ્થાનના વતની અને હાલમાં જેટ સિરામિક ફેકટરીના લેબર કવાટર્સમાં રહેતા સંજય રાજેશભાઇ સોલંકી ઉ.40 નામના યુવાનનું મૃત્યુ નિપજતા મકનસર રેલવે સ્ટેશન માસ્તરે પોલીસને જાણ કરતા વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.
- text