મોરબીના રાજનગર ફીડર હેઠળના વિસ્તારોમાં આવતીકાલે વિજકાપ રહેશે

- text


મોરબી : આવતીકાલ તારીખ 6/3/2024ને બુધવારના રોજ નવી લાઈન તથા મેન્ટેનન્સની કામગીરી કરવાની હોઇ પીજીવીસીએલના મોરબી શહેર-1 પેટા વિભાગ હેઠળ આવતો 11 કેવી રાજનગર ફીડર સવારે 8:00 થી સાંજના 5:00 વાગ્યા સુધી બંધ રહેશે. જેની આ ફીડરમાં આવતા તમામ વિજ ગ્રાહકોએ નોંધ લેવી.

- text

રાજનગર ફીડરમાં રાજનગર સોસાયટી, ધર્મસિદ્ધી સોસાયટી, ધર્મ ભૂમિ સોસાયટી, શ્રીમદ રાજ સોસાયટી, નિત્યાનંદ સોસાયટી, નાની કેનાલ વાળો રોડ, પંચાસર રોડ પર આવેલ પંપિંગ હાઉસ, સતવારા એસ્ટેટ વાળો વિસ્તાર, નવા મુનનગર વિસ્તાર, સત્યમ હોલ, મુનનગર ચોકની આજુબાજુનો વિસ્તાર, લાતી પ્લોટ-3,4,5,6 નો અમુક વિસ્તાર, મફતિયાપરા વિસ્તાર, ટેલીફોન એક્સચેન્જ વાળો વિસ્તાર વગેરે વિસ્તારમાં પાવર સપ્લાય બંધ રહેશે.

- text