માળીયાના જુના ઘાટીલા ગામે શોભાયાત્રા, મહાઆરતી અને મહાપ્રસાદનું આયોજન

- text


મોરબી : માળીયા તાલુકાના જુના ઘાટીલા ગામે અયોઘ્યા રામજી મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. જે અંતર્ગત આજે બપોરે ૧૨:૧૫ કલાકે મહા આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું અને બાદમાં અયોઘ્યા ખાતે ગયેલા કારસેવકોનું સન્માન આયોજક દ્વારા કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરી બપોરે ૨:૦૦ કલાકે ભવ્ય શોભાયાત્રા યોજી સાંજના સમયે સમસ્ત ગામ માટે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે.

- text