રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી અંતરંગ વાંકાનેર ખાતે ધારાસભ્યની અધ્યક્ષતામાં મિટિંગ યોજાઈ

- text


વાંકાનેર : આગામી 22 જાન્યુઆરીના અયોધ્યા ખાતે શ્રીરામ જન્મભૂમિ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી કરવામાં આવવાની છે. જેની પૂર્વ તૈયારીના ભાગરૂપે વાંકાનેર ફળેશ્વર મહાદેવ મંદિર ખાતે ધારાસભ્ય જીતુભાઈ સોમાણીની અધ્યક્ષતામાં મિટિંગ મળી હતી. જેમાં વાંકાનેર અયોધ્યામય બની રહે તે માટેની અનેક ચર્ચાઓ કરવામાં આવી હતી તેમજ વિવિધ સમિતિઓ બનાવી તેને કામગીરી સોંપવામાં આવી હતી. આ મિટિંગમાં બહોળી સંખ્યામાં ધર્મપ્રેમી ભાઈઓ-બહેનો હાજર રહ્યા હતા. મિટિંગ પૂર્ણ થયે સૌએ સાથે સ્વરૂચી ભોજન લઈને છુટાં પડ્યા હતા.

- text

- text