ટંકારાના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાના માતુશ્રીનું 97 વર્ષની વયે નિધન

- text


મોરબી : ટંકારા – પડધરી વિસ્તારના ધારાસભ્ય અને મોરબીના પૂર્વ જિલ્લા ભાજપ અધ્યક્ષ દુર્લભજીભાઈ દેથરીયાના માતુશ્રી જયાબેન હરખજીભાઈ દેથરીયાનું 97 વર્ષની વયે નિધન થતા તેમના નિવાસસ્થાન એન્ટીલા હીલ, લીલાપર કેનાલ રોડ ખાતેથી આજે સવારે તેમની સ્મશાનયાત્રા નીકળી હતી જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. સ્વ.જયાબેને તેમના સુપુત્ર વશરામભાઈ હરખજીભાઈ દેથરીયા, દુર્લભજીભાઈ દેથરીયા (ધારાસભ્ય) પૌત્ર નિલેશભાઈ વશરામભાઈ દેથરીયા અને રવિભાઈ દુર્લભજીભાઈ દેથરીયા સહિતના પરિવારજનોને વિલાપ કરતા છોડી ગયા છે.

- text

- text