વાંકાનેરની નર્સરી ચોકડી નજીક ટ્રક હડફેટે આધેડનું મૃત્યુ

- text


વાંકાનેર : વાંકાનેર શહેર નજીક હાઇવે ઉપર આવેલ નર્સરી ચોકડી પાસે પગપાળા જઈ રહેલા મોટા ભોજપરા ગામના રાજેશભાઇ મુળજીભાઈ ચાવડા ઉ.48 નામના આધેડને જીજે – 25 – યુ – 9088 નંબરના ટ્રકના ચાલકે હડફેટે લઈ ટાયર નીચે કચડી નાખતા ગંભીર ઇજાઓ પહોંચતા રાજેશભાઇનું મૃત્યુ નીપજ્યું હતું. અકસ્માતના આ બનાવ અંગે મૃતકના પત્ની શાંતુબેનની ફરિયાદને આધારે વાંકાનેર સીટી પોલીસે ટ્રક ચાલક વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

- text

- text