હળવદના ચરાડવા ગામે વાડીએ વીજશોક લાગતા યુવાનનું મૃત્યુ

- text


વાડી ફરતે ઝટકા શોટનો વાયર બાંધતી વખતે બનેલી ઘટના

હળવદ : હળવદ તાલુકાના ચરાડવા ગામે વાડી ફરતે ઝટકા શોટ ગોઠવવા માટે વાયર બાંધી રહેલા મૂળ મધ્યપ્રદેશના ખેત શ્રમિક યુવાનને વીજ શોક લાગતા મૃત્યુ નીપજ્યું હતું.

ઘટના અંગે જાણવા મળતી વિગતો મુજબ હળવદ તાલુકાના ચરડવા ગામની સીમમાં ડાયાભાઇ સવજીભાઈ ચૌહાણની વાડીએ રહી ખેત મજૂરી કરતા મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાના વતની સાયલાભાઈ ઉર્ફે શૈલેષ નગલીયાભાઈ ઉર્ફે નસરિયાભાઈ ટોકરિયા ઉ.20 નામનો યુવાન પ્રાણીઓની રંઝાડથી બચવા વાડી ફરતે ઝટકા શોટ ગોઠવતો હતો ત્યારે તાર ખેંચવા જતા ઇલેક્ટ્રિક વાયરને તાર અડી જતા વીજશોક લાગતા આ યુવાનનું મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે હળવદ પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

- text

- text