હળવદમા ઘેરથી ટ્રકમા જવાનું કહીને નીકળેલા યુવાનનો મૃતદેહ મળ્યો

- text


હળવદ : હળવદ જીઆઇડીસી પાછળના વિસ્તારમાં રહેતો યુવાન ઘેરથી ટ્રકમાં જવાનું કહીને નીકળ્યા બાદ પાંચેક દિવસ પછી ધ્રાંગધ્રા રોડ ઉપર કોયબા નજીક કેનાલના વોકળામાંથી મૃતદેહ મળી આવતા ચકચાર જાગી છે.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ હળવદ જીઆઇડીસી પાછળના વિસ્તારમાં રહેતો અજિત ઉર્ફે અજો દેવસીભાઈ સિરોયા ઉ.20 નામનો યુવાન ગત તા.14ના રોજ ઘરેથી ટ્રકમાં જવાનું કહીને નીકળ્યો હતો. જે બાદ ધ્રાંગધ્રા હાઇવે ઉપર કોયબા ગામ નજીક કેનાલ પાસેના વોકળામાંથી મૃતદેહ મળી આવતા હળવદ પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

- text

- text