મોરબીના ખાનપર ગામે ખેતશ્રમિક મહિલાની હત્યા, હત્યારો પતિ લાશ લઈને છોટાઉદેપુર પહોંચી ગયો

- text


છોટા ઉદેપુર પોલીસે મોરબી તાલુકા પોલીસને જાણ કરી

મોરબી : મોરબી તાલુકાના ખાનપર ગામે ખેત મજૂર દંપતી વચ્ચે કોઈ બાબતે માથાકૂટ થયા બાદ પતિએ પત્નીની હત્યા કરી મૃતદેહ લઈ પોતાના વતન છોટા ઉદેપુર પહોંચી જતા સ્થાનિક પોલીસ ચોકી ગઈ હતી અને બનાવ અંગે મોરબી તાલુકા પોલીસને જાણ કરતા કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

પ્રાપ્ત વિગતો મુજબ મોરબી તાલુકાના ખાનપર ગામે ખેતમજુરી કરતા મૂળ છોટા ઉદેપુર જિલ્લાના વતની રેમલાભાઈ નાયક નામના મજૂરે તેની પત્નિ જીનકીબેન નાયકની દાતરડાના ઘા ઝીકી હત્યા કરી હતી બાદ પત્નીના મૃતદેહને લઇ પોતાના વતનમાં ચાલ્યો ગયો હતો.

- text

આરોપી પતિ મૃતદેહ લઈને છોટા ઉદેપુર જિલ્લામાં પહોચી ગયાની જાણ જીનકીબેનના પરિવારજનોને થતા પોલીસ મથકમાં જાણ કરી મૃતદેહને કબ્જે કરાયો હતો બાદ આ અંગે સ્થાનિક પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને મૃતદેહ નજીકની સિવિલ હોસ્પિટલમાં પીએમ અર્થે ખસેડી પોલીસે આરોપી પતિને અટકાયતમા લઈ મોરબી પોલીસને જાણ કરી હતી.

- text