વાંકાનેરના માટેલમાં રાત્રે વીજ ધાંધિયાથી ગ્રામજનો હેરાન

- text


વાંકાનેર : વાંકાનેર તાલુકાના માટેલ ખોડિયાર મંદિરધામમાં તેમજ માટેલ ગામમાં દરરોજ સાંજ પડતાં જ વીજળીના ધાંધિયા શરૂ થઈ જતાં હોય ગ્રામજનો પરેશાન થઈ ગયા છે.

માટેલ-વિરપુર સંયુક્ત ગ્રામ પંચાયતના સરપંચના જણાવ્યા પ્રમાણે માટેલમાં રોજ સાંજ પડતાં જ વીજળીનો ફોલ્ટ શરૂ થાય છે અને આ ફોલ્ટ રિપેર કરતાં 1 થી 2 કલાકનો સમય વીતી જતો હોય છે. જેથી દરરોજ લોકોને વીજળી ન હોવાના કારણે પરેશાન થવું પડે છે. આ અંગે વારંવાર રજૂઆત કરી હોવા છતાં કોઈ નિરાકરણ આવ્યું નથી. ત્યારે આ અંગે તાત્કાલિક નિરાકરણ લાવવા ગ્રામજનોએ ઉગ્ર માંગ કરી છે.

- text

- text