21 સપ્ટેમ્બરે મોરબીના રાજપરમાં યોગ શિક્ષક શિવાની દીદીનું વક્તવ્ય યોજાશે

- text


મોરબી : મોરબીના રાજપરમાં આગામી તારીખ 21 સપ્ટેમ્બરના રોજ આંતરરાષ્ટ્રીય રાજયોગ શિક્ષિકા બી.કે. શિવાની દીદીનું વક્તવ્ય યોજાશે.

તારીખ 21 સપ્ટેમ્બરને ગુરુવારના રોજ સાંજે 6 વાગ્યાથી 8-30 વાગ્યા સુધી રાજપર સ્થિત પટેલ સમાજવાડી ખાતે આંતરરાષ્ટ્રીય વક્તા બી.કે. શિવાની દીદી ઉપસ્થિત રહીને શાંત મન, ખુશહાલ જીવન વિષય પર વક્તવ્ય આપશે. આ વક્તવ્યમાં 15 વર્ષથી ઉપરના ભાઈઓ-બહેનો ભાગ લઈ શકશે. પ્રવેશ માટે સવારે 8 થી 11 અને સાંજે 4 થી 6 કલાક દરમિયાન પાસ મેળવી શકાશે. જ્યારે 23 સપ્ટેમ્બરથી શરૂ થતી રાજયોગ શિબિરમાં ભાગ લેવા માટે પણ સેવા કેન્દ્રના સંચાલિકા બ્રહ્માકુમારી ચંદ્રીકાબેન દ્વારા જણાવાયું છે.

- text

- text