- text
મોરબી : મોરબીના કાંતિપુર ગામે આગામી તારીખ 7 સપ્ટેમ્બરના રોજ કૃષ્ણ જન્મોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવશે.
કાંતિપુર ગૌ સેવા યુવક મંડળ દ્વારા આગામી 7 સપ્ટેમ્બરના રોજ સવારે 8 કલાકે ગામમાં ભવ્ય શોભાયાત્રા નીકળશે. ત્યારબાદ સવારે 10 કલાકે રામજી મંદિર જગ્યા ખાતે મટકી ફોડ કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું છે. ત્યારબાદ હાજર સૌ કોઈ માટે પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે. આ ધાર્મિક કાર્યક્રમનો લ્હાવો લેવા માટે કાંતિપુર ગૌ સેવા યુવક મંડળ દ્વારા કાંતિપુર ગામની જાહેર જનતાને આમંત્રણ પાઠવાયું છે.
- text
- text