- text
મોરબી : વિશ્વ સિંહ દિવસ નિમિતે તળાવિયા શનાળા ગામે શાળા દ્વારા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. ગામ લોકો અને વિદ્યાર્થીઓએ સિંહનું સંરક્ષણ અને મહત્વ સમજાય તે માટે સિંહના મોહરા પહેરી સિંહ દર્શન કરાવ્યા હતા. આ રેલીમાં સિંહ બચાવોના નારા પણ લગાવવામાં આવ્યા હતા. શાળાના આચાર્ય મનસુખભાઇ કૈલા અને શાળાનો સ્ટાફ દિલિપભાઈ સદાતિયા , જયેશભાઇ બારોટ અને પ્રીતિબેન રાણસરિયાએ રેલીમાં ભાગ લીધો હતો.
- text
- text