વાંકાનેરમાં ભાજપના જનસંપર્ક અભિયાન અંતર્ગત તબીબોની મુલાકાત કરાઈ

- text


વાંકાનેર : વાંકાનેર શહેરમાં નરેન્દ્ર મોદીના સુશાસનના નવ વર્ષ પૂર્ણ થવાના અવસરે જનસંપર્ક અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. જે અંતર્ગત ધારાસભ્ય જીતુભાઈ સોમાણી અને ભાજપના કાર્યકરોએ વિવિધ ક્લિનિક અને હોસ્પિટલમાં જઈને ડોક્ટરો સાથે મુલાકાત કરાઈ હતી.

- text

વાંકાનેરના ધારાસભ્ય જીતુભાઈ સોમાણી અને ભાજપના કાર્યકરોએ આજે જનસંપર્ક અભિયાન અંતર્ગત વાંકાનેર શહેરનાં જાણીતા ડો. પ્રકાશભાઈ ધરોડીયા, ડો. અશ્ચિનભાઈ ધરોડીયા, ડો. મિતુલભાઈ પટેલ, ડો. જીજ્ઞેશભાઈ દેલવાડીયા, ડો. પ્રદીપભાઈ ભલગામડીયા, ડો. નયનભાઈ ભીમાણી, ડો.હર્ષદભાઈ મહેશ્વરી, ડો. હેતલબેન ગોરીયા, ડો. કિરણભાઈ ગોસાઈના દવાખાને જઈને રૂબરૂ મુલાકાત લઈને જનસંપર્ક અભિયાનને વેગવંતુ બનાવાયું હતું.

 

- text