મોરબીના મહેન્દ્રનગર સ્થિત રામધન આશ્રમમાં ગુરુપૂર્ણિમા ઉત્સવ ઉજવાયો

- text


મોરબી : મોરબીના મહેન્દ્રનગરમાં આવેલા રામધન આશ્રમ ખાતે આજ રોજ મહંત ભાવેશ્વરી મા તેમજ રત્નેશ્વરી દેવીના સાનિધ્યમાં ગુરુપૂર્ણિમા ઉત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.

ગુરુપૂર્ણિમા નિમિત્તે રામધન આશ્રમ ખાતે પોથીપૂજન, કુમારીકા પૂજન, મહાપ્રસાદ, સત્સંગ સહિતના કાર્યક્રમો ધામધૂમથી ઉજવવામાં આવ્યા હતા. આ પ્રસંગે ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, મનસુખભાઈ આદ્રોજા, કેશુભાઈ, ચુનીભાઈ કાવર, રમેશભાઈ, અંબારામભાઈ રાજપરા, ત્રિભોવનભાઈ, રેવાબેન ધોરીયાણી, રામજીભાઈ સહિતના અનેક ભક્તો પધાર્યા હતા અને ભજન તેમજ ભોજનનો લ્હાવો લીધો હતો. આ પ્રસંગે મીડિયા, આરોગ્ય વિભાગ, પોલીસ વિભાગના સભ્યો પણ પધાર્યા હતા અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. આ કાર્યક્રમમાં રામધન આશ્રમના સેવકો તેમજ ગોપી મંડળના બહેનોએ ભારે જહેમત ઉઠાવી હતી તેમ મુકેશ ભગતની યાદીમાં જણાવાયું છે.

- text

- text