- text
સદનસીબે થોડી જ ક્ષણ પૂર્વે યુવાન ત્યાંથી ચાલ્યો ગયો હોવાથી તેનો બચાવ
હળવદ : હળવદના સુખપર ગામની સીમમાં વીજળી પડતા 3 ભેંસના મોત થયા છે. જો કે સદનસીબે થોડી જ ક્ષણ પૂર્વે માલધારી યુવાન ત્યાંથી ચાલ્યો ગયો હોવાથી તેનો બચાવ થયાનું જાણવા મળ્યું છે.
હળવદ પંથકમાં આજે સાંજે 6 વાગ્યાથી વીજળીના કડાકા ભડાકા સાથે મેઘરાજા તૂટી પડયા છે. તેવામાં સુખપર ગામે ખાંડીયા હનુમાન મંદિરની બાજુમાં આવેલ મનસુખભાઇ ગાંડુભાઈ ગણેશિયાની વાડીએ વીજળી પડી હતી. આ વીજળી પડતા 3 ભેંસના મોત નિપજ્યા છે. જો કે વીજળી પડી તેને થોડી જ ક્ષણો પૂર્વે માલધારી યુવાન ત્યાંથી ચાલ્યો ગયો હતો. જેથી તેનો જીવ બચી ગયો છે.
- text
- text