વાંકાનેર ટોલનાકા દ્વારા બંધ કરાયેલ હળવદ, થાન, લુણસર જવાનો રસ્તો ખુલ્લો કરાયો

- text


વાંકાનેર : વાંકાનેર ટોલ નાકા પાસે હાઇવે પરથી હળવદ અને થાન તેમજ લુણસર તરફના ગામડાંના લોકોને આવવા જવાનો મુખ્ય રસ્તોને જોડતા સર્વિસ રોડ પરનો ટોલનાકા દ્વારા બંધ કરવામાં આવ્યો હતો તે હાલ ખુલ્લો કરી દેવામાં આવ્યો છે.

આ વિસ્તારનાં લોકોની રજુઆતને ધ્યાને લઈ અને આજ રોજ વાંકાનેરના ધારાસભ્ય જીતુભાઈ સોમાણીની સુચનાથી ભારતીય જનતા પાર્ટીના આગેવાનો હીરાભાઈ બાંભવા, મહામંત્રી વાંકાનેર તાલુકા ભાજપ, કીશોરસિંહ બી. ઝાલા મહામંત્રી વાંકાનેર તાલુકા ભાજપ, અશ્વિન નવઘણભાઈ મેઘાણી ડિરેક્ટર APMC વાંકાનેર, ડાયાભાઈ સરૈયા, રાજુભાઈ જાપડા, સહિતના આગેવાનો રૂબરૂ ટોલનાકે જઈ પ્લાઝા મેનેજરને મળી રજૂઆત કરી હતી અને આવવા જવાનો રસ્તો ખુલ્લો કરવામાં આવ્યો હતો.

- text

- text