મોરબીમાં ગાંધી ચોક પાસે ભરાતા પાણીથી રહીશો ત્રાહિમામ

- text


વખતો વખત તંત્રને રજુઆત પણ પરિણામ શૂન્ય

મોરબી : મોરબીમાં ગાંધી ચોક પાસે ભરાતા પાણીથી રહીશો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. વખતો વખત તંત્રને રજુઆત કરાઈ છે પણ પરિણામ શૂન્ય મળતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

સ્થાનિકો જણાવે છે કે મોરબીના ડો. તખ્તસિંહજી રોડ ઉપર ગાંધીચોક પાસે 10 વર્ષથી વરસાદી પાણી ભરાવવાની સમસ્યા છે. અનેક રજૂઆતો કરી છતાં આજ સુધી પાણીનો નિકાલ આવેલ નથી. આ રસ્તો વન વે હોય અહીંથી વાહન ચાલકોને ફરજિયાત પસાર થવું પડતું હોય છે. જેના કારણે ભારે હાલાકી વેઠવી પડી રહી છે.

- text

- text