વાંકાનેરના સિંધાવદર નજીક આશ્રમમાંથી કાઢી મુકવાના મનદુઃખમા યુવાન ઉપર હુમલો, બાઇકની લૂંટ

- text


ચાર શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ

વાંકાનેર : વાંકાનેરના સિંધાવદર નજીક આવેલા આશ્રમમાંથી કાઢી મુકવાના મનદુઃખમા મેનેજર ઉપર હુમલો કરી ચાર શખ્સોએ બાઇકની લૂંટ ચલાવતાં વાંકાનેર તાલુકા પોલીસ મથકમા ફરિયાદ નોંધાઇ છે.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ વાંકાનેરના સિંધાવદર નજીક આવેલ સૌરાષ્ટ્ર સમર્પણ આશ્રમમાંથી અમર વાળા નામના શખ્સને કાઢી મુકવા આવતા આ વાતનું મનદુઃખ રાખી અમર વાળા અને અજાણ્યા ત્રણ શખ્સોએ આશ્રમના મેનેજર નીતિન રતિલાલ પરમાર ઉપર પૂર્વ આયોજિત કાવતરું રચી હુમલો કરી બાઇકની લૂંટ ચલાવી નાસી જતા ચારેય વિરુદ્ધ વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

- text

- text