હળવદ : વાવાઝોડામાં મકાનની છત ધરાશાયી, સદભાગ્યે જાનહાની નહિ

- text


હળવદ : હળવદમાં પણ વાવઝોડાની અસરથી ખાનાખરાબી થઈ છે જેમાં ભારે પવન અને વરસાદથી હળવદમાં એક રહેણાંક મકાનની છત ધરાશાયી થઈ ગઈ હતી. સદભાગ્યે આ ઘટનામાં મકાનના રહેતા પરિવારનો આબાદ બચાવ થયો છે.

હળવદમાં ગતરાત્રીથી આજ સવાર સુધી વાવઝોડાની અસરને પગલે ભારે પવન અને વરસાદ પડી રહ્યો છે ત્યારે ભારે પવન અને વરસાદથી હળવદના રહેણાંક મકાનને નુકશાની થઈ હતી. જેમાં હળવદ શહેરમાં લક્ષ્મીનારાયણ ચોક નજીક આંબલી નીચેના વિસ્તારમાં રહેતા કનૈયાલાલ જોશીના મકાનની છત ભારે પવન અને વરસાદમાં પડી ગઈ હતી. જો કે આ મકાનની છત પડવાની ઘટનામાં સદભાગ્યે જાનહાની થઈ નથી. આ બનાવની જાણ થતા સામાજિક કાર્યકરો ઘટનાસ્થળે દોડી ગયા હતા અને આ બનાવની તંત્રને જાણ કરી છે.

- text

- text