- text
મોરબી : મોરબી માળીયા પંથકમાં ભારે પવનની આંધી અને ભારે વરસાદથી ઠેરઠેર ખાનાખરાબી થઈ છે. ત્યારે ભારે પવન અને વરસાદના કારણે વૃક્ષ ધરાશાઈ થતા માળીયાનો મોટી બરારનો રસ્તો બંધ થઈ ગયો છે. જેમાં મોટી બરારથી જસાપર, નાની બરાર, દેવગઢ, જાજાસર જવાનો માર્ગ હોય એ માર્ગ બંધ થવાથી આ ગામોનો સંપર્ક કપાઈ ગયો છે. વાવઝોડામાં વૃક્ષો ધરાશાઈ થવાના કારણે અનેક રસ્તાઓ બંધ થઈ ગયા છે.
- text
- text