વેરાવળ-અમદાવાદ સોમનાથ એક્સપ્રેસ 22 જૂન સુધી સાબરમતી સ્ટેશન સુધી જ જશે

- text


મોરબી : અમદાવાદ સ્ટેશન પર એન્જિનિયરિંગના કામ માટેના બ્લોકને કારણે પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝનથી પસાર થનારી ટ્રેન નંબર 22958/22957 વેરાવળ-અમદાવાદ-વેરાવળ “સોમનાથ એક્સપ્રેસ” તાત્કાલિક અસરથી 22 જૂન, 2023 સુધી વેરાવળથી રવાના થઈને સાબરમતી સ્ટેશન સુધી જશે અને રીટર્નમાં સાબરમતીથી જ શરૂ થઈને વેરાવળ જશે. ઉપરોક્ત બંને ટ્રેનો અમદાવાદ સ્ટેશને જશે નહીં જે બાબત સર્વે મુસાફરોએ ધ્યાને લેવા માટે પશ્ચિમ રેલવે રાજકોટ ડિવિઝનના સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર સુનિલકુમાર મીનાએ જણાવ્યું છે.

1278345107

- text