- text
ટંકારા : ટંકારાના ત્રણ હાટડી ચોકમાં આગામી તારીખ 27 મે ને શનિવારના રોજ રાત્રે 9 કલાકે રામામંડળ રમાડવામાં આવશે. ત્રણ હાટડી ચોક ખાતે તારાણા-ધારનું પ્રખ્યાત રામદેવડા રામામંડળ દ્વારા રામદેવજી મહારાજનું જીવન ચરિત્ર ભજવવામાં આવશે. તો આ રામામંડળ નિહાળવા માટે સૌ ભક્તોને જાહેર આમંત્રણ પાઠવાયું છે.
- text
- text