હળવદ યાર્ડના શેષ કૌભાંડમાં સાતેય આરોપીઓ બે દિવસના રિમાન્ડ ઉપર

- text


રિમાન્ડ દરમિયાન વર્ષ 2015ના ચકચારી કેસમાં શેષ ઉઘરાવીને ચાઉ કરી જવા મામલે ઉડી પૂછપરછ હાથ ધરાશે

મોરબી : હળવદ માર્કેટિંગ યાર્ડમાં વર્ષ 2015માં શેષ ઉઘરાવી બારોબાર ચાઉ કરી જવા પ્રકરણમાં તત્કાલીન સેક્રેટરી સહિતની આખી બોડી સામે એસીબીએ ગુનો દાખલ કરી તમામ આરોપીઓની ધરપકડ કરી આજે મોરબી કોર્ટમાં રજૂ કરતા કોર્ટે સાતેય આરોપીઓના બે દિવસના રિમાન્ડ મંજુર કર્યા છે.

હળવદ માર્કેટીંગ યાર્ડમાં ૧૩/૦૨/૧૫ થી તા.૨૬/૦૩/૧૫ દરમ્યાન ડુપ્લીકેટ પહોચ મારફતે માર્કેટ ફી એટલે કે શેષ ઉઘરાવી ખોટા દસ્તાવેજ બનાવી પોતાની સત્તાનો તથા પોતાના રાજય સેવકના હોદાનો દુરઉપયોગ કરવામાં આવ્યો હતો. તેઓએ પુર્વનિયોજીત ગુન્હાહીત કાવતરૂ રચી એકબીજાના મેળાપીપણામાં રહી ગેરકાયદેસર રીતે રૂ.૨૩,૧૯,૭૫૪/- ની માર્કેટીંગ શેષ ઉઘરાવી માર્કેટીંગ યાર્ડમાં જમા નહી કરાવી પોતાના અંગત લાભ મેળવ્યો હોય એસીબી દ્વારા ગુન્હો દાખલ કરવામાં આવ્યો હતો.

- text

આ કેસમાં એસીબીએ વિપુલભાઇ અરવિદભાઇ એરવાડીયા (સેક્રેટરી), અશોકભાઇ જયંતીભાઇ માતરીયા (વાઇસ સેક્રેટરી), હિતેષભાઇ કાળુભાઇ પંચાસરા (પંચારા) (કલાર્ક), નિલેષભાઇ વિનોદભાઇ દવે (કલાર્ક), પંકજભાઇ કાનજીભાઇ ગોપાણી (કલાર્ક), ભાવેશભાઇ રમેશભાઇ દલસાણીયા (કલાર્ક), અરવિંદભાઇ ભગવાનજીભાઇ રાઠોડ (કલાર્ક) સામે એસીબીએ ગુનો દાખલ કર્યા બાદ તમામ આરોપીઓની ધરપકડ કરી આજે મોરબી કોર્ટમાં રજૂ કરતા કોર્ટે સાતેય આરોપીઓના બે દિવસના રિમાન્ડ મંજુર કર્યા છે. રિમાન્ડ દરમિયાન આરોપીઓ પાસે રહેલા દસ્તાવેજી પુરાવા કબ્જે કરવા તેમજ વધુ કોઈ આરોપીની સંડોવણી છે કે કેમ તે અંગે પૂછપરછ હાથ ધરાશે.

- text