ટંકારામા બુદ્ધ પુર્ણિમાની ઉજવણી, પ્રમોશન મેળવનાર એએસઆઈનું અભિવાદન કરાયું

- text


ટંકારા : ટંકારા ખાતે બુદ્ધપૂર્ણિમાની ઉજવણી અત્રેના ડો. બાબાસાહેબ આંબેડકર હોલ ખાતે કરવામાં આવી હતી, આ પ્રસંગે એએસઆઈ તરીકે બઢતી મેળવનાર પોલીસ જવાનનું અભિવાદન કરી સામાજિક અગ્રણીના જન્મદિવસે શુભકામનાઓ પાઠવવા આવી હતી.

ટંકારા તાલુકા પંચાયત સામે ડો.આંબેડકર ભવન ખાતે બૌદ્ધ ધર્મના સ્થાપક ગૌતમબુદ્ધની જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી હતી. તેમજ ટંકારા પોલીસ મથકે ફરજ બજાવતા વસંતભાઈ વઘોરા ASI તરીકે બઢતી મળી હોય સમાજના અગ્રણીબંધુ દ્વારા અભિનંદન પાઠવ્યા હતા. અંતમાં સામાજિક કાર્યકર નાગજીભાઈ ચૌહાણનો અવતરણ દિવસ હોઈ ત્યાં કેક કાપીને શુભેચ્છા આપી હતી. આ તકે એડવોકેટ દિનેશભાઈ વાઘેલા, વકિલ મિત્ર મનસુખભાઈ ચૌહાણ, જિલ્લા પંચાયતના સદસ્ય પ્રતિનિધિ અશોકભાઈ ચાવડા, Tr. જસવંતભાઈ ચાવડા, સુરેશભાઈ સરપંચ, મહેશ સારેસા સહિતના લોકો હાજર રહ્યા હતા.

- text

- text