હળવદના દેવીપુર ગામમાં આજે સંતવાણી યોજાશે

- text


મોરબી : હળવદ તાલુકાના દેવીપુર ગામના નિવાસી સોનગ્રા જડીબેન નાનજીભાઈ (ઉ.વ.૯૦) નું તા. ૨૨ એપ્રિલને શનિવારના અવસાન થતા જડીબેન સોનાગ્રાને શ્રધ્ધાંજલી નિમીત્તે તેમજ સીતારામ ગૌશાળાના લાભાર્થે આજે તા. ૩૦ એપ્રિલને રાત્રે ૯ કલાકે જડીબેનના નિવાસસ્થાન, દેવીપુર ખાતે સંતવાણી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સંતવાણી આરાધક બિરજુભાઈ બારોટના સ્વરે ભજનનો કાર્યક્રમમાં પ્રસ્તુત કરશે. દેવીપુર તેમજ આસપાસની ધર્મપ્રિય જનતાને આ કાર્યક્રમનો લાભ લેવા નિમંત્રણ પાઠવાયું છે.

- text

- text