મોરબીના ધારવારા હનુમાનજી મંદિરે આવતીકાલે સંતવાણી યોજાશે

- text


મોરબી : મોરબી – વાંકાનેર હાઇવે ઉપર આવેલ શક્તિ ચેમ્બર પાછળ, ઉમિયા નગર ખાતે આવેલા ધારવારા હનુમાનજી મંદિર ખાતે આવતીકાલે શનિવારે ભવ્ય સંતવાણીના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

ધારવારા હનુમાનજી મંદિર ખાતે વાર્ષિક પ્રતિષ્ઠા પાટોત્સવ નિમિત્તે ઉમિયાનગર વિસ્તારના રહેવાસીઓ દ્વારા તા.15 એપ્રિલને શનિવારે રાત્રે 9.30 કલાકે ભવ્ય સંતવાણીના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ભજનિક અરવિંદભાઈ જોષી, સાહિત્યકાર અનોપસિંહ વાઘેલા, ભજનિક નટુભાઈ પ્રજાપતિ, ભજનિક અશોકભાઈ છત્રોલા ઉપસ્થિત રહી સંગીતના સથવારે ભજનની રમઝટ બોલાવશે. આ ધાર્મિક પ્રસંગે મોરબી તેમજ આસપાસની ધર્મપ્રિય જનતાને આ કાર્યક્રમનો લાભ લેવા નિમંત્રણ પાઠવાયુ છે.

- text

- text